ઇસરોના ચેરમેન એસ.સોમનાથની મહત્વની જાહેરાત, 2035ના પહેલા સ્પેસ સ્ટેશનનું નામ ભારતીય અંતરિક્ષ સ્ટેશન હશે
- 06 Dec, 2023
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) ૨૦૩૫માં સ્પેસ સ્ટેશન તરતુ મૂકશે. આ સ્પેસ સ્ટેશનનું નામ હશે ભારતીય અંતરિક્ષ સ્ટેશન. ઇસરોના ચેરમેન શ્રીધર પન્નીકર સોમનાથે થોડા સમય પહેલાં એવી વિશેષ માહિતી આપી હતી કે ભારત ૨૦૩૫માં પોતાનું સ્પેસ સ્ટેશન તરતું મૂકશે. આ સ્પેસ સ્ટેશનનું નામ ભારતીય અંતરિક્ષ સ્ટેશન હશે. ભારતીય અંતરિક્ષ સ્ટેશન પૃથ્વી ફરતે ગોળગોળ ફરતું રહેશે. આપણા ભારતીયઅંતરિક્ષ સ્પેસ સ્ટેશનનો હેતુ અંતરિક્ષ સંશોધન, અંતરિક્ષ સંશોધન માટેની અત્યાધુનિક ટેકનોલોજી વિકસાવવી, લાંબા સમયગાળા માટે સમાન અવકાશયાન મોકલવાં વગેરે હશે.
એસ.સોમનાથે એવી માહિતી પણ આપી હતી કે સ્પેસ સ્ટેશનની યોજના આમ તો આવતાં ૨૦ વર્ષ માટેની છે.આમ છતાં એક વખત આપણા ગગનયાન પ્રોજેક્ટને ઉજળી સફળતા મળે ત્યારબાદ અમારું બધું ધ્યાન આ ભાવિ સ્પેસ સ્ટેશન તૈયાર કરવામાં હશે.વળી, આ ભાવિ ભારતીય અંતરિક્ષ સ્ટેશનને તૈયાર કરવાની મહત્વાકાંક્ષી યોજનાના શરૂઆતના તબક્કે તેનાં ક્રિટીકલ મોડયુલ્સ અને તેની ખાસ પ્રકારની સિસ્ટમ તૈયાર થશે.ઉપરાંત, આ ભાવિ સ્પેસ સ્ટેશનમાં તબક્કાવાર ભારતના અવકાશયાત્રીઓ સાથે મળીને અંતરિક્ષ સંશોધનના પ્રયોગો કરશે. વળી,માઇક્રોગ્રેવિટી સાયન્સ, મટિરિયલ્સ સાયન્સ, લાઇફ સાયન્સ વગેરે જેવા અંતરિક્ષ સંશોધનના પ્રયોગો માટે ઉત્તમ પ્રકારની આધુનિક સુવિધાઓ પણ આપવામાં આવશે. ચંદ્રયાન-૩ની ઝળહળતી સફળતા સાથે જ આંતરરાષ્ટ્રીય સ્તરે ઇસરોના વિજ્ઞાનીઓની અને એન્જિનિયરોની ટેકનિકલ સિદ્ધિની અને કાબેલિયતની ભરપૂર પ્રશસા થઇ રહી છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ